ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મુળ વ્રજપર ગામના સાત શખ્સોએ એકસંપ થઈ મારમાર્યાની તેમજ રોકડ રકમ અને દાગીનાની લુંટ અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વ્રજપર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ખેંગારભાઈ કરમણભાઈ જાદવ (ભરવાડ)ની વ્રજપર ગામની ઈસાકડી નામથી ઓળખાતી સીમમાં તેમની વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન પીરવાળી ધાર પાસે આવેલ ગૌચરની જમીન પાસે મુળ વ્રજપર ગામના અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બે અલગ-અલગ કારમાં આવી એકસંપ થઈ ગૌચરની જમીન ખેડતા હતા આથી ફરિયાદીના ભાઈ ગોપાઈભાઈએ જમીન ગૌચરની હોવાથી નહિં ખેડવાનું જણાવતા તમામ શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા .આથી ગાળો બોલવાની ના પાડતા એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી તમામ સાત શખ્સોએ ફરિયાદીને લાકડાના ધોકા, લોખંડના ધારીયા વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahua Moitra Bribe Row: 'महुआ चोर हैं या नहीं', एथिक्स कमिटी को जवाब देने पहुंचे BJP सांसद बोले
नई दिल्ली। भाजपा सांसद निशिकांत दुबे और टीएमसी सांसद महुआ मोइत्रा के बीच विवाद बढ़ता जा रहा...
શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ માતાજીના દર્શન કર્યા...
શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ માતાજીના દર્શન...
પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલ પેન્શન શંખનાદ રેલીમાં જોડાયા.
જુની પેન્શન યોજના OPS ના અમલીકરણ માટે સમગ્ર દેશભરમાંથી લાખો કર્મચારીઓ પેન્શન શંખનાદ રેલી અંતર્ગત...
દિયોદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રિહર્સલ કાર્યક્રમ યોજાયો
દિયોદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે રિહર્સલ કાર્યક્રમ યોજાયો