અંબાલા ગામે દ્વારકાધીશ મંદિરે વૈષ્ણવાચાર્ય ની હાજરી મા ફુલ ફાગ રસીયા નુ આયોજન @Virendramehta24

કાલોલ તાલુકાના અંબાલા ગામે દ્વારકાધીશ મંદિર ખાતે શુક્રવારે સાંજના સાત કલાકે વૈષ્ણવ આચાર્ય પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર મહારાજ અને વહુજી મહારાજ તેમજ મધુરમ બાવા ની હાજરી મા ફુલ ફાગ હોળી રશિયા નો મહોત્સવ ઉજવાયો જેમા મુખ્ય મનોરથી ભીખીબેન દિનેશચંદ્ર પરીખ પરીવાર હતો. કાલોલ તેમજ આસપાસના ગામો થી મોટી સંખ્યામા વૈષ્ણવો હાજર રહ્યા હતા ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્ર્મ મા વૈષ્ણવો ને આવવા જવા માટે કાલોલ ના વેરાઈ માતા ગૃપ ના યુવાનોએ કાર અને ટેમ્પો ની વ્યવસ્થા કરી હતી