મહાશિવરાત્રી નાં દિવસે યાત્રાધામ ડાકોર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાં હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત !

ડાકોરના ઠાકોર ને મળવા પહોંચ્યા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ !

જિલ્લાના ૧૩૦ કરોડ થી વધુ નાં કામોનું કરવામાં આવ્યું લોકાર્પણ તથા ૨૨૨ કરોડ થી વધુના કામોનું કર્યો ખાતમુહુર્ત !

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે સવારે 11:00 કલાકે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સરકાર શ્રી આ વિવિધ વિભાગોના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આજે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ડાકોર ખાતે આવેલ નવીન બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી એ રાધા કુંડ ની પાસે સભાને સંબોધી હતી.

ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ની સાથે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની સાથે ખેડા જિલ્લાના ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અનવર સૈયદ ઠાસરા ખેડા