સુરેન્દ્રનગર જિલ્લાના નવલગઢ ગામે કેનાલના રસ્તે મોટરસાયકલ સ્લીપ ખાતા યુવક અને બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું હતુ. ત્યારે ધ્રાંગધ્રા ફાયર સ્ટેશનની ટીમ, સુરેન્દ્રનગર ફાયર સ્ટેશનની ટીમ તેમજ જિલ્લાના સામાજિક કાર્યકરો અને તરવૈયા દ્વારા 24 કલાકથી વધુ સમય સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ યુવકનો કોઈ પતો ન મળતા અંતે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું હતુ. ત્યારે આજે વહેલી સવારે જસાપરથી ભેચડા જવાના રસ્તે નર્મદા કેનાલમાં યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે 18 ફેબ્રુઆરીના રાત્રીના 10 વાગ્યા આસપાસ એક બાઈક સવાર યુવક કેનાલના રસ્તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો, તે દરમિયાન આકસ્મિક રીતે બાઈક સ્લીપ ખાતા મોરબી બ્રાન્ચની નવલગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં બાઈક સાથે યુવક ખબક્યો હતો. ત્યારે ધ્રાંગધ્રા ફાયર ટીમ, સુરેન્દ્રનગર ફાયર ટીમ તેમજ ગ્રામજનો અને સામાજિક કાર્યકરો દ્વારા યુવકની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેનાલમાં ડૂબી જનાર નવલગઢ ગામના જીગરભાઈ મકવાણા આશરે 35 વર્ષ ઉંમર નામના યુવકનું બાઈક શોધી કાઢ્યું હતું.પણ લાંબા પ્રયત્નો છતાંય યુવકને મોડી રાત્રી સુધી શોધી શકાયો નહોતો. ત્યારે નર્મદા કેનાલનું પાણી બંધ કરાતા આજે 20 ફેબ્રુઆરી અને મંગળવારે સવારના સમયે જસાપરથી ભેચડા જવાના રસ્તે નર્મદા કેનાલમાં એક યુવાનની લાશ તરતી જોવા મળતા સ્થાનિક ખેડૂત દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસનો સંપર્ક કરીને નવલગઢ ગામે યુવાનના પરિવારજનોને પણ જાણ કરાઇ હતી. જેથી પરિવારજનો દ્વારા તુરંત જસાપરથી ભેચડા જવાના રસ્તે દોડી પહોંચ્યા હતા. અને બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી યુવાનનો મૃતદેહ બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠાની નવ બેઠકોના સંપૂર્ણ પરિણામ
વાવ બેઠક
વિજેતા ઉમેદવાર
ગેનીબેન ઠાકોર(કોંગ્રેસ) ૧૬,૨૩૭ મતથી વિજય
મેળવેલ મત
૧,૦૦,૬૫૨ મત...
गांधी परिवार की संदेशखाली पर चुप्पी से दोहरा चेहरा सामने आया : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने सन्देश खाली घटना पर टिपण्णी करते हुए कहा कि...
जोधपुर में बरसे गहलोत, कहा- भाजपा सरकार झूठ के दम पर सत्ता में आई
पूर्व मुख्यमंत्री अशोक गहलोत ने कहा कि राज्य की मौजूदा भाजपा सरकार झूठ के दम पर सत्ता में आई है।...
વેરાવળ માં રૂ58 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 2 ઓવરબ્રિજનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
-----------...