ડીસાના ત્રણ હનુમાન મંદિર પાસે આવેલા સંભવનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં અફરા-તફરી સર્જાઈ હતી. આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ જતાં મોટું નુકશાન થવા પામ્યું હતું.

ડીસાની સંભવનગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ મિસ્ત્રીના મકાનમાં આજે આકસ્મિક આગની ઘટના સર્જાઈ હતી. મકાનના બીજા માળે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ મકાન માલિક ઘરની બહાર દોડી આવી જાણ કરતા આજુબાજુના લોકોએ પણ બનાવસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આગની ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં જ યુ.જી.વી.સી.એલ. કર્મચારીઓ સહિત ફાયર ફાયટરની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ જતાં મકાન માલિકને મોટું નુકશાન થયું હતું. પ્રાથમિક તપાસ કરતા શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.