ખાંભા ના ડેડાણ માં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ ના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

 આજરોજ અયોધ્યા માં રામ મંદિરમાં શ્રીરામનો અભિષેક હોય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને આખો દેશ આ દિવસોમાં રામમય છે અને ચારે બાજુ ભક્તિનો માહોલ છે

 ત્યારે ખાંભા તાલુકાના ડેડાણ માં શ્રી રામજી મંદિર શ્રી શ્યામ મંદિર સહિતના મંદિરમાં મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમ આયોજન કરાયું હતું તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના સંગઠન દ્વારા વિશાળ શોભાયાત્રા નું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા ડેડાણ રામજી મંદિરેથી પ્રસ્થાન કરી ડેડાણ ગામના રાજમાર્ગો પસાર થઈ હતી

 અને આ ત કે ડેડાણ ગામ ના હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે બંધ પાળી અને પ્રભુ શ્રીરામ ના મહોત્સવમાં જોડાયા હતા તેમજ ડી વાય એસ.પી હરેશ વોરા સાહેબ ખાંભા પી.એસ.આઇ કે.ડી.હડિયા સાહેબ ડેડાણ આઉટ પોસ્ટ ના એ.એસ.આઇ કમલેશભાઈ વાઢેર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો