અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત 4000 સંતો મહંતો ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

    સાવરકુંડલા પંથક માંથી આપણા સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ બાપુ ને 22 તારીખે અયોધ્યા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સાવરકુંડલા માટે એક સૌભાગ્યની વાત છે. 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા સાવરકુંડલા થી નારાયણદાસ બાપુને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સમગ્ર ધર્મપ્રેમી જનતાઓ દ્વારા તથા વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ તથા દુર્ગાવાહિનીના કાર્યકરો દ્વારા પ્રસ્થાન કરવા માટે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિર ની રજા અને પરવાનગી લઈ સાવરકુંડલા ની જનતાની શુભેચ્છાઓ મેળવી અયોધ્યા જવારવાના થયેલ હતા. અયોધ્યા જઈ સાવરકુંડલાની જનતાની સુખાકારી શહેરની શાંતિ અને સમગ્ર રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવા માટે વિદાય કરેલ છે જય જય શ્રી રામ

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા