બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામે ભાગમાં ખેતી કરતા ખેત મજૂરની ખેતરના માલિક દ્વારા હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના ગઢ ગામે 20 વર્ષથી રહેતા અને ભાગિયા તરીકે કામ કરતા વેલાજી ઠાકોરની ખેતર માલિક દ્વારા ધોકાના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડી આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.