ચોટીલા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા થિયેટર નજીક રોડ ક્રોસ કરી રહેલી કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતાં. આ મામલે ઇજાગ્રસ્ત કાર ચાલકે ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાનમાં રહેતા ધર્મેશભાઇ બેચરભાઇ કણઝરીયા તેમજ વસીમભાઇ મોહમ્મદભાઇ કલાડીયા, નીલેશભાઇ કલ્યાણજીભાઇ મકવાણા, સિધ્ધાર્થભાઇ અશોકભાઇ સાકરીયા તથા ક્રોમીકભાઇ કિશોરભાઇ પટેલ સહીતનાઓ ચોટીલા અમદાવાદ હાઇવે પર આવેલા થિયેટરમાં ફિલ્મ જોવા માટે જઇ રહ્યા હતા.તે દરમિયાન અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા એક ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલક સહીત કુલ ૪ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ અંગે ઇજાગ્રસ્ત કારચાલક ધર્મેશભાઇએ ડમ્પરના ચાલક વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડમ્પરના ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ : નેશનલ પાવર લીફ્ટિંગ ચેમ્પિયન શિપ જમ્મુ- કાશ્મીર ખાતે કાજલબેન દયાતરે ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા
યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ઓફ ઇન્ડિયા દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાનારી નેશનલ પાવર...
केशोरायपाटन थाना क्षेत्र में अत्यधिक शराब पीने से हुई युवक की मौत परिजन पहुंचे कोटा पुलिस ने करवाया पोस्टमार्टम
केशोरायपाटन थाना क्षेत्र में अत्यधिक शराब पीने से हुई युवक की मौत परिजन पहुंचे कोटा पुलिस ने...
ছিপাঝাৰৰ জয়পাল যুৱক সংঘৰ এক প্ৰশংসনীয় পদক্ষেপ
জয়পাল পাৰৰ উদীয়মান যুৱকযুৱতীসকলৰ উমৈ হতীয়া মঞ্চ জয়পাল যুৱক সংঘই অঞ্চলটোৰ কৃতিমান ছাত্ৰ ছাত্ৰী...
শীঘ্ৰেই জনজাতিৰ মৰ্যদা প্ৰদান নকৰিলে ভয়াবহ আন্দোলনৰ সম্মুখীন হব লাগিব চৰকাৰে। ইতিমধ্যেই আন্দোলনৰ কায্যসূচী ঘোষণা কৰা হৈছে। ATTSA ৰ তিনিচুকীয়া জিলাৰ ৰঞ্জিত কুৰ্মিৰ ভাষ্য
শীঘ্ৰেই জনজাতিৰ মৰ্যদা প্ৰদান নকৰিলে ভয়াবহ আন্দোলনৰ সম্মুখীন হব লাগিব চৰকাৰে। ইতিমধ্যেই...