લખતરના ઝેઝરી ગામ પાસે પીકઅપ વાનમાંથી ઈંગ્લિશ દારૂની ૬૦૦ બોટલ મળી આવી હતી. પોલીસે પીછો કરતા વાનનો ચાલક વાનને બિનવારસી છોડી નાસી ગયો હતો. આ અંગે પોલીસે રૂ.૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર વાન ચાલક સહિતના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લખતર પોલીસની ટીમ જનરલ નાઈટ દરમિયાન રાઉન્ડમાં હતી, તે દરમિયાન સવલાણા ગામ નજીક પહોચતા પોલીસને બાતમી મળી કે ૫ીકઅપ વાનમાં પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નીકળનાર છે. જેના આધારે વોચ ગોઠવી હતી.જે દરમિયાન ઇંગરોળી ગામ તરફથી એક પીકઅપ વાન આવતા તેને ઊભી રાખીને ચેકિંગ હાથ ધરતા ચાલકે પીકઅપ વાન ઉભું નહિ રાખી સવલાણાથી ઝેઝરી ગામ તરફ જવાના રસ્તે પુરઝડપે ચલાવી હતી. જેનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવતાં ઝેઝરી ગામ પાસે વાનનો ચાલક વાન મુકી નાસી છુટયો હતો. જ્યારે વાનની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦૦ મળી આવી હતી. પોલીસે રૂા.૨.૨૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો તેમજ પીકઅપ વાન મળી કુલ રૂા.૪.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છુટેલા ચાલક સહિત દારૂ મંગાવનાર અને ભરી આપનાર શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घुटनों के बल बैठकर बीजेपी कार्यकर्ताओं से मांगी माफ़ी ओमप्रकाश राजभर के बेटे।
उत्तर प्रदेश लखनऊ के जनपद घोसी में,घुटनों के बल बैठकर बीजेपी कार्यकर्ताओं से मांगी माफी ओमप्रकाश...
ભાવનગર હરિદ્વાર ટ્રેન નો પ્રારંભ, બોટાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...
ભાવનગર હરિદ્વાર ટ્રેન નો પ્રારંભ, બોટાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું...બોટાદ જિલ્લાના માનનીય...
लाडक्या गणरायाला निरोप देण्यासाठी महानगरपालिका सुसज्ज
अमरावती महानगरीची सांस्कृतिक ओळख असलेल्या गणेशोत्सवास यंदा ३१ ऑगस्ट पासून सुरुवात झाली आणि अनेक...
राम कथा एवं सत्संग पूर्णाहुति के पोस्टर का किया विमोचन
राम कथा एवं सत्संग पूर्णाहुति के पोस्टर का किया विमोचन
बून्दी। श्री राम कथा एवं सत्संग पूर्णाहुति...
સુરેન્દ્રનગર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની સજા ફટકારી
લખતરના ખારીયા શેરીના રહીશ નિલેશકુમાર કંડીયા એ સુરેન્દ્રનગરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ...