સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. આથી જિલ્લા અને તાલુકા મથકોએ લોકઅદાલત યોજાશે. જેમાં વિવિધ પ્રકારના કેસો હાથ ધરવામાં આવનાર છે.ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું છે. આથી તા.9-12-2023ના રોજ જિલ્લા અને તાલુકામથકોએ આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત ક્લેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રિકસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો વગેરે હાથ પર લેવાશે.આથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરપર્સન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પી.એસ.ગઢવી તથા ફુલટાઇમ સેક્રેટરી ચીફ જ્યુડીમેજિસ્ટ્રેટ ડી.ડી.શાહે તમામ પક્ષકારોને જણાવાયું છે કે નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shahid Latif, Hardeep Nijjar को खत्म करने वाला अनजान शूटर कौन है? Pakistan | Canada |Terrorist | NIA
Shahid Latif, Hardeep Nijjar को खत्म करने वाला अनजान शूटर कौन है? Pakistan | Canada |Terrorist | NIA
“મારી માટી,મારો દેશ–માટીને નમન,વીરોને વંદન”અંતર્ગત કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો‘અમૃત કળશ’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા“મારી માટી,મારો દેશ-માટીને...
संकल्प योजनान्तर्गत पांच दिवसीय उद्यमिता विकास कार्यक्रम हुआ संपन्न
राजकीय औद्योगिक प्रशिक्षण संस्थान में संकल्प योजनान्तर्गत पांच दिवसीय उद्यमिता विकास कार्यक्रम का...
ભાવનગર ત્રણ ગુંડા તત્વોના ત્રાસથી સગીરાએ દસ દિવસ પહેલા આત્મહત્યા કરી | SatyaNirbhay News Channel
ભાવનગર ત્રણ ગુંડા તત્વોના ત્રાસથી સગીરાએ દસ દિવસ પહેલા આત્મહત્યા કરી | SatyaNirbhay News Channel
गर्मी में पंछियों का सहारा बनी उमंग, देखिए कैसे?
मानव अस्तित्व के लिए प्रकृति संरक्षण जरूरी है: डॉ संदीप यादव
उमंग संस्थान द्वारा कन्या...