સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડના રહીશ ગફારભાઇ રસુલભાઇ મોવરે રાજકોટ નાગરિક બેંક સુરેન્દ્રનગરમાંથી ધંધાના વિકાસ માટે લોન લીધી હતી.જેમાં 8 લાખની ધિરાણ તા.25-5-18ના રોજ ચૂકવાયું હતું.આ લોનની હપ્તે હપ્તે ચૂકવવાની હતી લોનના હપ્તા પેટે 8,27,357 બાકી નીકળતા હોવાથી ગફારભાઇએ 1-3-10ના રોજ રૂ.30 હજારનો ચેક લખી આપ્યો હતો.જે તા.1-3-19એ નાણાના અભાવે પરત આવ્યો હતો.આથી બેંકમેનેજર હિરેનભાઇ જાદવ દ્વારા નોટિસ આપ્યા બાદ કેસ કરાયો હતો. જે કોર્ટમાં ચાલી જતા આરોપી તરફના વકીલ ક્રિમાબેન શાહ દ્વારા દલીલ કરી હતી કે તેમણે 8 લાખની લોન લીધી હતી.જેના હપ્તા નિયમિત ભર્યા જે હપ્તા ભર્યા નથી તેનાથી વધારે રકમનો ચેક રકમ જાતે ભરી ખોટો કેસ કરાયો છે. ઉલટ તપાસમાં ફરિયાદી લોન સમયે 10 એડવાન્સ ચેક લીધેલાનું કબૂલ કરી જે 10 ચેક પૈકી એક ફરિયાદવાળો ચેક હોવાનું કબૂલ રાખે છે. આરોપીએ કેટલા હપ્તા ભર્યા કેટલા બાકી તેવી કોઇ હકીકત ફરિયાદ નોટિસ તપાસમાં જણાવી નથી.તેમન આરોપીએ ઘરેથી વેપાર કરવા મકાન ખરીદવા લોન લીધાનું જણાવ્યું છે તેમજ આરોપી પાસે કયા કર્મચારીએ એડવાન્સ ચેક લીધા તેની વિગત ભરી તેની ખબર નથી તેવું કબૂલ કર્યું છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે ફરિયાદવાળા ચેક આરોપીએ કાયદેસરના દેવા તથા જવાબદારી પેટે આપેલો હતો તે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયા હોવાથી આરોપી ગફારભાઇને નિર્દોષ છોડવા તથા રૂ.5હજાર પુરાના જામીન તથા તેટલી જ રકમ જાતમુચરકા આપવા હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને આરોપી સામે ખોટી ફરિયાદ કરવા બદલ શા માટે આરોપીને વળતરનો હુકમ ન કરવો તે માટે નોટિસ કાઢવા હુકમ કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર ખાતે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ
Human development organization દ્વારા પાલનપુર ખાતે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી સાથે...
प्रा. विशाल घुगे यांना कोचिंग क्षेत्रात भरीव कामगिरी केल्याबद्दल सन्मानचिन्ह देऊन सन्मानित
कोचिंग क्लासेस असोसिएशन महाराष्ट्र राज्याचे पहिले राज्यस्तरीय अधिवेशन रविवार 21ऑगस्ट रोजी...
বিশ্বনাথত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা; থিতাতে নিহত চাৰি জন
চতিয়াৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ গেৰেকীত সংঘটিত হয় এই শোকাবহ পথ দুৰ্ঘটনা। বিশ্বনাথ অভিমুখী মালবাহী...
બારડોલી તાલુકાના બાબેન ગામ નજીક અક્સ્માત
#buletinindia #gujarat #surat
ઇશ્વરીયા ગામે લમ્પ્રી રોગચાળો સામે ગૌઘન ને રસીકરણ કરાયું
ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે...