ડીસા (મેરૂજી પ્રજાપતિ)

થરાદ તાલુકાના રાહ ગામે સરિયાદે માં ના મંદિરના પટાંગણમાં સમસ્ત પુરબીયા પ્રજાપતિ સમાજ નું સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓ નો સન્માન સમારંભ યોજાયેલ.

 પુરબીયા પ્રજાપતિ સમાજ આયોજીત સન્માન સમારંભ માં તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષણ થકી પ્રગતિ સાધનાર સમાજના આશાસ્પદ યુવાઓ નું સન્માન કરાયેલ.

આ પ્રસંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારી વિજયા બેન પ્રજાપતિ એ વ્યસન મુક્તિ અને દીકરીઓને શિક્ષણ આપવાની અપીલ કરેલ. મુખ્ય વક્તા મોટિવેશન સ્પીકર હાર્દિક ભાઈ પ્રજાપતિ એ નવયુવાનો શિક્ષણ માટે પ્રેરિત કરતું ઉદબોધન કરેલ.

ડો.ભરતભાઇ પ્રજાપતિ, આચાર્ય શેલેશભાઈ પ્રજાપતિ,ગોવિદ ભાઈ પ્રજાપતિ,ઇદર કુમાર,ચેલારામજી, અને પુરબીયા પ્રજાપતિ સમાજ ના યુવા અગ્રણી જગદીશભાઈ પ્રજાપતિ એ પ્રાસંગિક પ્રવચનો કરેલ . આ પ્રસંગે સમાજના વિદ્યાર્થીઓ ,શિક્ષકશ્રીઓ ,આધિકારીઓ અને શ્રી ભેરાજી વગતાજી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.