ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અને પંચમહાલ જિલ્લાના મોવડી મંડળની સુચના અને માર્ગદર્શન હેઠળ 128-હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય દિવાળી સ્નેહમિલન સમારંભ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ઐતિહાસિક વડા તળાવ ખાતેના પંચ મહોત્સવ સાઈટના વિશાળ મેદાનમાં આજરોજ સાંજના સુમારે અનેક ભાજપા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં યોજાયો હતો આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા,હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી મયંકકુમાર દેસાઈ,પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિત પંચમહાલ જિલ્લા તેમજ હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમને અનુરૂપ અગ્રણીઓ દ્વારા પ્રવચન કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત તમામ જનતાને દિવાળી તેમજ નવા વર્ષ સહિતના હાલમાં ચાલી રહેલા તહેવારોની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.