ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં ગુજરાત રાજયના ડીજીપી દ્વારા કુલ 518 એએસઆઈને પો.સ.ઈ.નું પ્રમોશન આપી દીવાળીની ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના કુલ 8 કર્મચારીઓએ એએસઆઈ ટુ પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવેલ છે. જે તમામ 8 કર્મચારીઓને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દિવાળીના દિવસે જ પો.સ.ઈ. તરીકેના નિમણુંક હુકમો આપી છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં આ પ્રમોશનથી ખાલી પડેલ જગ્યા પર 8 કર્મચારીઓને હે.કો. થી એએસઆઈ અને 8 કર્મચારીઓને પો.કો. થી હે.કો.નું પ્રમોશન આપવામાં આવેલ છે. આમ જીલ્લાના કુલ 24 પોલીસ કર્મચારીઓને દીવાળી તહેવારની ભેટ આપવામાં આવેલ છે. આમ સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ 24 પોલીસ કર્મચારીઓને પ્રમોન મળતા પોલીસ તથા પોલીસ પરીવાર દ્વારા આનંદની લાગણી વ્યકત કરેલ છે અને દિવાળીના તહેવાર દરમ્યાન પ્રમોશનની ભેટ આપવા બદલ તમામ પોલીસ કર્મચારીઓએ ગુજરાત રાજયના એચઓપીએફ ડીજીપી વિકાસ સહાય તથા સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાનો આભાર વ્યકત કરેલ હતો.એએસઆઈમાંથી પીએસઆઈનું પ્રમોશન મેળવેલ કર્મચારી: કલોત્રા વજુભાઈ નારાયણભાઈ, ભટ્ટી ઈબ્રાહીમભાઈ આદમભાઈ, રાણા ઈન્દ્રસિંહ જોરૂભા, પરમાર બાલજીભાઈ રત્નાભાઈ, સૈયદ શબાનાબેન મહમદભાઈ, વાઘેલા મુળજીભાઈ ડુંગરભાઈ, રાઠોડ મગનભાઈ આલાભાઈ, સુમેરા ડાયાભાઈ તેજાભાઈ, એચસીમાંથી એએસઆઈ પ્રમોશન મેળવેલ કર્મચારી: દિલીપસિંહ ભુપસિંહ ટાંક, શકિતસિંહ પનુભા વાઘેલા, વિજયસિંહ ઘનશ્યામસિંહ મોરી, હિતેષભાઈ જેશીંગભાઈ જોગરાણા, હિંમતભાઈ અજમલભાઈ વડેખણીયા, દશરથસિંહ લાલજીભાઈ જાદવ, હિતેષભાઈ પ્રવિણભાઈ જાદવ, અને પીસીમાંથી એચસી પ્રમોશન મેળવેલ કર્મચારી: અલ્પેશભાઈ અંબારામભાઈ ચિહલા, શૈલેષકુમાર બચુભાઈ કૈલા, જીગ્નેશ નારાયણભાઈ ભડાણીયા, વિજયસિંહ પ્રવિણભાઈ પરમાર, દિનેશભાઈ મીઠાભાઈ પરાલીયા, અજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મનોજકુમાર પ્રેમજીભાઈ ઝાલા, દિલીભાઈ રસીકભાઈ માલકીયા.