કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે રેલ્વે ફાટક નંબર ૩૨ ઉપર બની રહેલ ઓવર બ્રીજનુ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.જેના સંદર્ભે સાઈડ પરનાં માર્ગો પરથી વાહનો અવર-જવરતા હોય છે. સાથે સાથે આ માર્ગ પરથી પાંડુ, સેવાલિયા, ટીંબા, ઉદલપુર વિસ્તારમા ચાલી રહેલા કોરી ઉદ્યોગોનાં ભારદાર વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. ઘણા સમયથી વિલંબિત ઓવર બ્રિજની કામગીરી શરૂ કરતાં નજીકનાં રોડ પર થી જો ભારે વાહનો પસાર થાય તો વાહન વ્યવહારમાં અડચલ થતી અટકાવવી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી ગામના જાગૃત નાગરિકો તેમજ ગ્રામ પંચાયત દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જેનાં પગલે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ગોધરા પ્રાંત કચેરીનાં તાત્કાલિન નાયબ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પ્રવિણસિંહ ડી.જૈતાવતએ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કાલોલ ને સ્થળ નિરીક્ષણ કરી જાહેરનામું બહાર પાડવા સ્પષ્ટ અભિપ્રાય બે દિવસમાં મોકલી આપવામા હુકમ કર્યો હતો. જેના પગલે રૂબરૂ સ્થળ ની મુલાકાત અર્થે સોમવાર નાં રોજ કાલોલ મામલતદાર તથા નાયબ મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ ડેરોલ સ્ટેશન બની રહેલ ઓવર બ્રિજ ની મુલાકાત તથા ભારદારી વાહનો થી થતા ટ્રાફિક ને પણ નજરે જોઈ ને જાહેરનામું જલ્દી પ્રસિધ્ધ કરવાની ખાત્રી આપી હતી જેને લઇ તારીખ ૧૦/૧૧/૨૦૨૩ રોજ જીલ્લા કલેકટર આશીષકુમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૭(૧)(ખ) અન્વયે મળેલ અધિકારની રુએ કાલોલ તાલુકા ના એલ.સી નં 32 (કિ.મી ૪૪૫ ૨૦-૨૨ બીટવીન ડેરોલ ખરસાલીયા બ્લોક સેક્શન ઓન વડોદરા ગોધરા બીજા રેલ્વે (ડેરોલ સ્ટેશન પાસે)પર રોડ ઓવરબ્રિજ ની કામગીરી ચાલુ હોય કાલોલ,કણેટિયા,સાતમણા કલ્યાણા,વચ્છેસર,ઉદયલપુર અને સેવાલિયા તરફ આવતા જતા તમામ પ્રકારના ભારે વાહનોની અવર-જવર તારીખ ૧૦/૧૧/૨૦૨૩ ના રોજ સવારના છ કલાકથી બ્રીજની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે સદંતર બંધ રહેશે જ્યારે આ સમયગાળા દરમિયાન સાતમણા,કલ્યાણ વચ્છેસર, ઉદલપુર અને સેવાલિયા તરફથી આવતા જતા તમામ પ્રકારના ભારે વાહનો કાલોલ-વેજલપુર ટુવા ઉદલપુર સેવાલિયા રૂટ ઉપરથી આવનજાવન કરી શકશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રાવણ માસ નિમિતે ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિરે ભક્તો ની ભીડ ll Saurashtra Fast News
શ્રાવણ માસ નિમિતે ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિરે ભક્તો ની ભીડ ll Saurashtra Fast News
সোণাৰিত নিশা চাঞ্চল্যকৰ অপহৰণ কাণ্ড, চাৰি বছৰৰ শিশুক অপহৰণ কৰি ৰঙা ঘৰৰ আলহী এজন।
চাওঁক কি দৰে অপহৰণ কৰিছিল।সোণাৰিত নিশা চাঞ্চল্যকৰ অপহৰণ কাণ্ড, চাৰি বছৰৰ শিশুক অপহৰণ কৰি ৰঙা ঘৰৰ...
असम में काजी नहीं, सरकार निकाह का रजिस्ट्रेशन करेगी,आज विधानसभा में बिल पेश होगा
असम सरकार आज (22 अगस्त) को विधानसभा में मुस्लिम मैरिज एंड डिवोर्स रजिस्ट्रेशन बिल 2024 पेश करेगी।...