અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા દીવની અને જેસલમેરની ડેઇલી ડાઇરેક્ટ ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દેરવાયું છે. જોકે આ ફ્લાઇટમાં નવા સ્થળોનો ઉમેરો થવાથી પ્રવાસીઓને દિવના દરિયા કિનારાનો નજારો, 'ગોલ્ડન સિટી' જેસલમેરના આકર્ષણનો અનુભવ તેમજ મનમોહક ઐતિહાસિક સ્થળોની આનંદ માણી શકશે.ઈન્ડિગોએ આગ્રામાં પણ પોતાની સેવા ચાલુ કરી છે. જેના થકી પ્રવાસીઓ વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલને નિહાળી શકશે. આ તમામ બાબતોને પરિણામે એર કનેક્ટીવીટી વધુ મજબૂત બનશે.સ્પાઈસજેટ દ્વારા પણ દૈનિક ચેન્નાઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદને પોર્ટ બ્લેર સાથે જોડી રહી છે. પ્રવાસીઓ તેનાથી પોર્ટ બ્લેરનાદરિયા કિનારાની મજા માણી શકશે.