વઢવાણના રહીશે સુરેન્દ્રનગરના રહીશ પાસે બાંધકામ સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના કામના પૈસાની ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા. જે નાણાના અભાવે પરત આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને 6 માસની સજા અને ફરિયાદીને ચેકની રકમ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.વઢવાણ રામ સોસાયટીના રહીશ અરવિંદભાઇ વિરમભાઇ ચૌહાણને સુરેન્દ્રનગરના સુરપાલસિંહ રાણા અવારનવાર સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપતા હોવાથી ધંધાકીય સબંધો હતા. સુરપાલસિંહે અરવિંદભાઇને રૂ.60 હજાર સાઇટના બાંધકામ પેટે એડવાન્સમાં આપ્યા હતા.જે સુરપાલસિંહે પરત માંગતા અરવિંદભાઇએ ચેક લખી આપ્યો હતો. જે નાણાના અભાવે 30-4-2022એ પરત થયો હતો. આથી સુરપાલસિંહે વકીલ ઝેડ.એ.ચૌહાણ મારફત અરવિંદભાઇ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ત્રીજા એડિ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે આરોપી અરવિંદભાઇ ચૌહાણને ગુનામાં તક્સીરવાર ઠરાવી 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ રૂ.60,000 અને વળતરરૂપે ચૂકવવા હુકમ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
HDFC Bank Shares To Fall? | Nifty & Nifty Bank Today | आज किन Levels पर रखें नजर? | Virendra Kumar
HDFC Bank Shares To Fall? | Nifty & Nifty Bank Today | आज किन Levels पर रखें नजर? | Virendra...
કાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સરદાર ભવન ખાતે બેઠક યોજી રણનીતી તૈયાર કરાઈ
ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે ત્યારે આગામી ફેબ્રુઆરીમાં પંચમહાલ...
দুৰ্ঘটনাত নিহত দুই যাত্ৰী
👉 নুমলিগড়ত ডাম্পাৰে মহটিয়ালে যাত্ৰীবাহী অট' । দুই অট’ আৰোহী নিহত
: গোলাঘাট :২৬ মাৰ্চ...
આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી
આંગણવાડીના કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સન્માનિત કરવામાં આવી
Ganeshay namah....
*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે...