વઢવાણના રહીશે સુરેન્દ્રનગરના રહીશ પાસે બાંધકામ સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના કામના પૈસાની ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા. જે નાણાના અભાવે પરત આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને 6 માસની સજા અને ફરિયાદીને ચેકની રકમ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.વઢવાણ રામ સોસાયટીના રહીશ અરવિંદભાઇ વિરમભાઇ ચૌહાણને સુરેન્દ્રનગરના સુરપાલસિંહ રાણા અવારનવાર સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપતા હોવાથી ધંધાકીય સબંધો હતા. સુરપાલસિંહે અરવિંદભાઇને રૂ.60 હજાર સાઇટના બાંધકામ પેટે એડવાન્સમાં આપ્યા હતા.જે સુરપાલસિંહે પરત માંગતા અરવિંદભાઇએ ચેક લખી આપ્યો હતો. જે નાણાના અભાવે 30-4-2022એ પરત થયો હતો. આથી સુરપાલસિંહે વકીલ ઝેડ.એ.ચૌહાણ મારફત અરવિંદભાઇ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ત્રીજા એડિ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે આરોપી અરવિંદભાઇ ચૌહાણને ગુનામાં તક્સીરવાર ઠરાવી 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ રૂ.60,000 અને વળતરરૂપે ચૂકવવા હુકમ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્ર્વ નેતા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમીતે કાર્યક્રમ યોજાયો
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા...
ડીસાના માલગઢ નજીક બાઇક ચાલકને આખલાએ અડફેટે લેતાં મોતને ભેટ્યો
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર મોડી રાત્રે રખડતા પશુના કારણે વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. અચાનક...
PM Modi Varanasi Visit: Varanasi में PM मोदी-योगी का रोड शो, जनसभा को करेंगे संबोधित | Election 2024
PM Modi Varanasi Visit: Varanasi में PM मोदी-योगी का रोड शो, जनसभा को करेंगे संबोधित | Election 2024
કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને થયેલાનુકસાનનું વળતર આપવા માંગકરતુમામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને થયેલાનુકસાનનું વળતર આપવા માંગકરતુમામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.