મહિસાગર ના વિરપુર તાલુકામાં આશ્રમ શાળા વિરપુર ખાતે શાળા ના કેમ્પસમાં બીઆરસી કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩_૨૪ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું..

જેમાં તાલુકાના ૧૨૦ બાળક વૈજ્ઞાનિકો અને ૬૦ માર્ગદર્શક શિક્ષક શ્રી ઓ એ ભાગ લીધો હતો

પ્રદર્શનમાં 60 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાનજીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શ્રીમતી ડો. અવની બા મોરી મેડમ ના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું.

ડો. અવની બા મોરી મેડમ એ વધુ માં બાળકો ભવિષ્યમાં આગળ આવી અને ખૂબ જ પ્રગતિ કરે તેવી ઉમદા વિચાર સાથે જિલ્લાની શાળાઓની રોનક વધારવા અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સમગ્ર જિલ્લામાં રોનક ચમકાવી દીધી..

આ પ્રદર્શનમાં તાલુકાના અન્ય શાળાઓમાંથી આવેલા ૧૯૮૧ વિદ્યાર્થીઓએ તેમજ 75 જેટલા શિક્ષકોએ મુલાકાત લીધી હતી

આ પ્રદર્શનમાં સમાપન વખતે માનનીય ધારાસભ્ય શ્રી બાલાસિનોર વિધાનસભા ના માન શિહ્ ચૌહાણ એ હાજરી આપી.

બાળ વૈજ્ઞાનિકો આગળ વધે એવા સુભાષિત વચનો પાઠવ્યા હતા.. 

આવનાર ભવિષ્ય પેઢીને આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે સમગ્ર બીઆરસી ટીમ કોઓર્ડીનેટર વીરપુરના શ્રી નિરવભાઈ બારોટ સી.આર.સી કો ભાવેશભાઈ અને તેમની ટીમને ખુબ જ ઉમદા કામગીરી કરી ને તાલુકા નું નામ દીપાવ્યું..તથા બંને શિક્ષણ સંગઠનો ને ના મહાનુભવો વડે અભિનંદન અને આશીર્વાદ મેળવ્યા..

રિપોર્ટર... દિલીપ ચૌધરી..... મહિસાગર