કાલોલ નગરમાં યુવા વૈષ્ણવાચાર્ય નું આગમન શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં દાન લીલા મનોરથ નાં દર્શન મા ખાસ ઉપસ્થિત રહિ વૈષ્ણવો ને કૄતાથ કરશે.

કાલોલ તા - ૧૦/૧૦/૨૦૨૩

કાલોલ નગરમાં યુવા વૈષ્ણવાચાર્ય પ. પુ. પા. ગૌ. ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ના આગમન ની મંગળ વધાઈ ના કાયૅક્રમ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાલોલની ગોવર્ધનનાથજી મંદિર ની હવેલી ખાતે મંગળવાર ના રોજ દાન લીલા અને ઈન્દિરા એકાદશી ના દિવસે દાનલીલા મનોરથ ના ભવ્ય દર્શન યોજાવવાના છે. જે અંતર્ગત મંગળવાર ના દીવસે સમસ્ત વૈષ્ણવ સમાજ ને ખાસ ઉપસ્થિત રહી સમસ્ત વૈષ્ણવો ને કૃતાર્થ કરશે. કાયૅક્રમ અંતર્ગત કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા સમસ્ત વૈષ્ણવ સમાજ ને હરિ ,ગુરુ અને વૈષ્ણવ ના ત્રિવેણી સંગમ ના અલૌકીક અવસર નુ આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.સમસ્ત વૈષ્ણવ સમાજ ને જણાવતા આણંદ થાય છે કે શ્રી ગોવર્ધનનાથજી હવેલી,કાલોલ ખાતે આપણા સૌના લોક લાડીલા પ.પુ.પા ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ની આજ્ઞા એવમ માર્ગદર્શન હેઠળ સંચાલિત "પુષ્ટિ સંસ્કાર એકેડમી" નો પ્રારંભ ને સફળતાં પૂર્ણ ૧ વર્ષ થયો. જેમાં પ્રથમ વરસે ૧૩૦ થી વધુ બાળકો એ આ પુષ્ટિ સંસ્કાર એકેડમી નો લાભ લીધો હતો. પ્રથમ વર્ષ પૂર્ણ થયા ને ભવ્ય ઉજવણી નો કાર્યક્રમ આગામી દિવસોમાં માં કરવામાં આવશે તેવું પૂજ્ય શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં ચલાવવામાં આવતી"પુષ્ટિ સંસ્કાર એકેડમી " માં એડમીશન નિશુલ્ક છે.