દિયોદર તાલુકાના એક ગામમાંથી તા. 12 સપ્ટેમ્બરના સાંજે એક સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી કોતરવાડા ગામનો રઘુજી મફાજી ઠાકોર ભગાડી ગયો હતો.

આ અંગે સગીરાના પિતાએ આસપાસમાં શોઘખોળ કર્યા બાદ ક્યાંય પત્તો ન લાગતા આખરે દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે રઘુજી મફાજી ઠાકોર (રહે.કોતરવાડા,તા.દિયોદર) સામે અપહરણનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.