પાલનપુર નજીક આવેલ બાલારામ નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બાલારામ મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો ન્હાવા પડ્યા હતા. જોકે, બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થતા ડુબી ગયા હતા. જેથી બન્નેના મોત થયા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ બાલારામ મંદિર નજીકથી બાલારામ નદી પસાર થાય છે, ત્યારે મંદિરના દર્શન અર્થ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જોકે, આજે બાલારામ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

બંને યુવકો પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક આવી પહોંચ્યા હતા અને બન્ને યુવકોને બહાર કાઢ્યા હતા. જે બાદ પોલીસને જાણ થતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બંને યુવકો ડીસાના હુસેનચોક વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.