સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલામાંથી પેરોલ, ફર્લો વચગાળાના જામીન ઉ5ર છુટીને ફરાર થયેલ હોય તેવા કેદીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેણીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા સુરેન્દ્રનગર એએસઆઇ મનસુખભાઇ રાજાભાઇ રાજપરા તથા કુલદીપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમસીભાઇ લોહ એમ ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત આધારે નાની મોલડી પો. સ્ટે. ગુ.ર.નં. મુજબના કામના નાસતા ફરતા આરોપી ભુપતભાઇ મનજીભાઇ રાજપરા જાતે ત. કોળી ઉ.વ.પ0 રહે. મદાવા તા. જસદણ જી. રાજકોટ હાલ રહે. જસદણ વડલાવાડી સોસાયટી તા. 09/8ના ક. 10.30 વાગ્યે ઢોકળવા ગામેથી મળી આવતા નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.