લીંબડી અમદાવાદ હાઈવે ખાતે જાખણ ગામના પાટિયા પાસે અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરથી કટારિયા ગામના યુવાનનું મોત થયું હતું. અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી ન્યાય મેળવવા મૃતકના પરિવારજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. લીંબડી અમદાવાદ હાઈવે જાખણ ગામના પાટીયા પાસે તા. 27 જુલાઈએ લીંબડી તાલુકાના કટારીયા રહેતાં અરવિંદભાઈ માલાભાઈ માથાસુરીયા લીંબડીથી મજુરી કામ કરીને તેમના ઘેર પરત ફરી રહ્યા હતાં.તે સમયે જાખણ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને પુરપાટ ઝડપે આવીને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં અરવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી છુટયો હતો. ત્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અરવિંદભાઈની ડેડ બોડીને પીએમ અર્થે લીબડી આર.આર.હોસ્પિટલમાં મોકલી આપી બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.પરંતુ હાલ સુધી પોલીસ તંત્ર દ્વારા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવામાં કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતાં મૃતકનો ભાઈ તથા તેના પરિવારજનો અકસ્માતવાળી જગ્યાએ ન્યાય માટે લડત ચલાવવા ઉપવાસ ઉપર બેઠા છે. તેમણે જણાવ્યું હતું કે, તેના મૃતક ભાઈ અરવિંદભાઈ માથાસુળીયાને ત્રણ પુત્રીઓ છે. અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ પુરૂ પાડે એવું હવે રહ્યું નથી. જેથી કરીને પોલીસ તંત્ર દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવામાં આવે તેમજ તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા પરિવારને ન્યાય મળે તેવી માંગ માટે આ ઉપવાસી આંદોલન શરૂ કરાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદ નગરના સાર્વજનિકના તળાવના અંદર અને તળાવના ફરતે ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા. ઝાલોદ નગરપાલિકાનું સ્વચ્છતા સર્વેક્ષણ માત્ર કાગળ પર
ઝાલોદ નગરના સાર્વજનિકના તળાવના અંદર અને તળાવના ફરતે ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા....
मेडिकल कॉलेजमध्ये ऍडमिशन करून देतो म्हणून केली फसवून
दिनांक 14.11.2022 ते 31.0.2024 दरम्यान यातील फिर्यादी श्रीमती माया विठठलराव ढंगे वय 60 वर्षे रा....
वन्यजीव संरक्षण संशोधन विधेयक, 2021 पारित, जीवों को वर्मिन घोषित करने में होगी आसानी
केंद्रीय पर्यावरण और वन मंत्री भूपेंद्र यादव ने चर्चा के दौरान उन्होंने कहा कि वन्य जीवों को...
Apple की सेल में iPad और MacBook खरीदने का सुनहरा मौका, जमकर मिल रहा डिस्काउंट
सेल की शुरुआत 20 जून से शुरू होकर 20 सितंबर तक चलने वाली है। सेल के दौरान स्टूडेंट्स को iPad और...