રિપોર્ટ. લતીફ સુમરા
ઉપરવાસ ના ભારે વરસાદ ના કારણ દાંતીવાડા ડેમ ની અંદર પાણી ની આવક વધતા બનાસ નદીની અંદર છ બારી ખોલીને પાણી છોડવામાં આવ્યું એની અંદર જુનાડીસાના ગ્રામ પંચાયતની તલાટી હેમંત પંછીવાલા તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પીઆઇ એસ.એમ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસ નદીના કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં તલાટી સાહેબ દ્વારા જાણવા મળ્યું અગાઉ પણ જુનાડીસા ગામની અંદર ત્રણ લોકોના નદીમાં ડૂબવાથી મોત થયા હતા એવી ઘટના ફરીથી ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ બનાસ નદીમાં પાણી આવ્યા બાદ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે જુના ડીસા જમાદાર ભરતભાઈ પુનડીયા તથા પોલીસ સ્ટાફ અલગ અલગ જગ્યાએ ગોઠવી દઈ લોકોને નદી પાસે જતા અટકાવવામાં આવી રહ્યા છે.આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ ભરાઈ જતા અત્યારે છ બારી ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને બનાસ નદીમાં પાણી આવતા જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાથે જ બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે જુનાડીસા પંચાયત દ્વારા વારંવાર સૂચનાઓ આપવા હોવા છતાં પણ કેટલાક લોકો આ સૂચનાને અવગણી નદીમાં નાહવા, માછલી પકડવા જઇ ખોટી અવરજવર કરતા હોય છે જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ડીસામાં બનાસ નદીના કિનારે અલગ અલગ જગ્યાએ પોલીસ તૈનાત કરાઇ છે. જેથી લોકોને નદી તટમાં જતા અટકાવી દુર્ઘટના ટાળી શકાય. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના યુવાનો નદીમાં નાહવા જતા ડૂબી ગયા હોવાની ઘટનાઓ બની છે.ત્યારે આ વર્ષે આવી કોઈ જ દુર્ઘટના ન સર્જાય અને લોકોના ઘરમાં શોકનો માહોલ સર્જાતા અટકે તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ડીસા આજુબાજુમાં બનાસ નદી પાસે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને બનાસ નદીમાં પાણી પાસે ન જાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.