કડિયાવાડ પાસે મકાન ધરાશાય મામલે મનપા ખાતે મળી સંકલન સમિતિની બેઠક

ગઈ કાલે કડીયાવડ પાસે જર્જરીત ઇમારત ધરાશાય થતાં ઇમારત નીચે દટાઈ જતા 4 વ્યક્તિના મોત નીપજ્યા

આજની બેઠકમાં મેયર ગીતાબેન પરમાર ડે.મેયર ગિરીશભાઈ કોટેચા ધારાસભ્ય સંજયભાઈ .કમિશનર રાજેશ તન્ના .સ્થાઈ સમિતિ ચેરમેન હરેશભાઈ તેમજ શાસક પક્ષના નેતા અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ગામીત અને બાંધકામ અધિકારી સહિતના હાજર રહ્યા 

આજની બેઠક ઠરાવ પ્રમાણે 64 જેટલા જર્જરીત ઇમારત ઉતારી લેવા ટીમ બનાવવામાં આવી કુલ 184 ઈમારતોને નોટિસ આપવામાં આવી છે જેમાં 64 ઇમારતો આજથી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે ગઈ કાલની ઘટના ને લઈ જવાબદાર અધિકારી સામે પગલાં લેવા મુખ્યમંત્રીને લેખિત આપવામાં આવશે આજની બેઠક માં ગઈ કાલની ઘટનાને લઈ મીડિયા થી કમિશનર દૂર ભગી અને બેઠક પૂર્ણ કરી કોઈ વાત નહિ કરવા નું કહી ચાલતા થયા હતા