દીઓદર તા. નાગરીક શરાફી મંડળીની જાણીતા ધારાશાસ્ત્રી બી. કે. જોશીના અધ્યક્ષસ્થાને સાધારણ સભા મળી,,,દીઓદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી. ની. ૨૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના મીટીંગ હોલમાં યોજાઈ હતી.જેમાં સભાનું પ્રમુખ સ્થાન જાણીતા ધારાશાસ્ત્રી બી.કે.જોષીએ સંભાળ્યું હતું. પધારેલા સૌને સંસ્થાના મેનેજર પ્રકાશ આર.શાહે આવકારી અહેવાલ રજુ કર્યો હતો.. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે દીપ પ્રાગટચ કરવામાં આવ્યું.હતું. ત્યાર પછી સંસ્થાના ચેરમેન અશોક બી.શેઠે સૌને આવકારી સંસ્થા દ્વારા થયેલ પ્રગતિના અહેવાલ રજુ કર્યા હતા. તેમજ જણાવેલ કે સંસ્થા દ્વારા સભાસદો ને રૂા.૧ લાખનો અકસ્માત વિમો લેવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા લોન ધારોકો પૈકી કોઈનું અવસાન થાય તો રૂા.૫૦ હજાર સુધીની લોન કવર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે મંડળીના એડવોકેટ તરીકે વર્ષોથી સેવા પુરી પાડતા બી.કે.જોષી તાજેતરમાં લાયંન્સ કલબ દીઓદર ના પ્રમુખ પદે વરણી પામતાં તેમજ મંડળી ના પાયાના પૂર્વ મેનેજર બાબુલાલ વી.માળી સરદારપુરા મધ્યે સરપંચ પદે વરણી પામતાં તેમજ મંડળીના માર્ગદર્શક તેમજ સહકારી ક્ષેત્રે કોઈપણ પ્રશ્ન હોય તો સરળતા કરી આપતા કાંકરેજ પંથકના વતની અને ઓડીટરશ્રી જામાભાઈ દેસાઈ તા.૩૦/૬/૨૦૨૩ ના રોજ વય નિવૃત થતાં તેમનું તેમજ દીઓદર ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે ચુંટાયેલા રાઈબેન રમેશભાઈ પ્રજાપતિ તથા જોસનાબેન અનુપજી ઠાકોર નું સંસ્થા દ્વારા કંકુતિલક,શ્રીફળ-શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું..તેમજ સફળતા હાંસલ કરી દરેક ધોરણમાં વધુ માર્કસ મેળવનાર બાળકોનું ફુલસ્કેપ ચોપડા આપી બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જામાભાઈ દેસાઈ એ જણાવેલ કે સંસ્થાનું પોતાનું બે માળનું મકાન તેમજ સેલ્ફડીપોઝીટ વોલ્ટની સુવિદ્યા ધરાવતી જિલ્લામાં માત્ર ગણતરીની સંસ્થાઓ છે. ત્યારે આ પંથકને સુંદર વહીવટ થકી આ લાભ મળે છે. તોસંસ્થામાંથી ઓછા વ્યાજની લોન લઈ આપ સૌ આગળ વધો તેમ જણાવ્યું હતું.પ્રમુખ સ્થાનેથી શ્રી બી.કે.જોષી એ સંસ્થાની સ્થાપના થીઆજસુધી દરેક દ્વારા જે સહયોગ મળ્યો છે. તેને ઉજાગર કરેલ સંસ્થાના ડિરેક્ટર ૨મેશભાઈ સોની એ આભારવિધિ કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નવરાત્રીની તળામાર તૈયારીઓ શરૂ
ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નવરાત્રીની તળામાર તૈયારીઓ શરૂ
कोटा कलेक्ट्री पर राशन डीलर ने कटोरा लेकर मांगी भीख @news @BBCHindi @ravishkumar.official
कोटा कलेक्ट्री पर राशन डीलर ने कटोरा लेकर मांगी भीख @news @BBCHindi @ravishkumar.official
Aditya L1 की यात्रा में क्या-क्या आएंगे पड़ाव? ISRO के पूर्व वैज्ञानिक से जानें डिटेल |ISRO | Latest
Aditya L1 की यात्रा में क्या-क्या आएंगे पड़ाव? ISRO के पूर्व वैज्ञानिक से जानें डिटेल |ISRO | Latest
रक्तदान पखवाड़ा विशेष: स्टूडेंटों ने कहा रक्तदान को लेकर बने वृहद कार्ययोजना
रक्तदान को पाठ्यक्रम में शामिल किया जाए, रक्तदान भारतवर्ष में नियमित रूप से करने के लिए एक कार्य...
3D Darshan: Kashi Vishwanath धाम में अब डिजिटल दर्शन, मंदिर प्रशासन ने लागू की 3D व्यवस्था | Aaj Tak
3D Darshan: Kashi Vishwanath धाम में अब डिजिटल दर्शन, मंदिर प्रशासन ने लागू की 3D व्यवस्था | Aaj Tak