સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન તથા સુચનાઓથી શહેરી વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હજુ શ્રાવણમાસ ને વાર હોય અને શકુનીયો જુગારની હાટડીઓ ખોલી પત્તાની મોજ માણે તે પેહલા પોલીસે દબોચી લીધા ધ્રાંગધ્રા સીટી પોલીસ પીઆઇ જે,એસ, ઝાંબરે 5ીએસઆઇ એમ એ સૈયદ, કોસ્ટેબલ બળવંતસિંહ, સરફરાજ મલેક, નવઘણભાઈ ખીટ,સહિત સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે સમયે બાતમીના આધારે શહેરના બાંભા શેરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના જુગાર રમતા આરોપી સબીરભાઈ, બસીરભાઈ, આરીફ ભાઈ, રહે તમામ ધ્રાંગધ્રા વાળા સહિત 3 લોકોને ગંજીપાનાનો જુગાર રમતા પકડી પાડેલ પોલીસ પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ 10620 ના મુદ્દામાલ કબજે કરી તમામ પકડાયેલ આરોપી વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.