પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે. આ ટ્રેનને 29 જૂન સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.તેની ફ્રિકવન્સી લંબાવીને હવે તેને 27 જુલાઈ, 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો છે.આથી ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 27 જુલાઈ 2023 સુધી ચાલશે. તેવી જ રીતેબાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.00 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 28 જુલાઈ 2023 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. જેનું બુકીંગ 1 જુલાઇથી ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નડિયાદ ભાજપ પરિવાર દ્વારા મોરબી હોનારત ના મૃતકો માટે શોક સભા રાખવામાં આવી
નડિયાદ કમલમ ખાતે મોરબી બ્રિજ ના મૃતકો ની આત્મા ની શાંતિ માટે શોક સભા યોજાઈ
મોરબી...
Rajasthan के Dholpur में फायरिंग करके भाग रहे बदमाशों की बाइक स्टार्ट नहीं हुई, फिर जो हुआ...
Rajasthan के Dholpur में फायरिंग करके भाग रहे बदमाशों की बाइक स्टार्ट नहीं हुई, फिर जो हुआ...
Deepika Padukone seen with Shah Rukh Khan in leaked Jawan pics as they shoot for a special song for his new film
Deepika Padukone and Shah Rukh Khan reunited for a shoot in Mumbai on Tuesday. As per...
Nitish Kumar Statement: Nitish Kumar के विवादित बयान पर JNU में जलाया गया पुतला | Aaj Tak News
Nitish Kumar Statement: Nitish Kumar के विवादित बयान पर JNU में जलाया गया पुतला | Aaj Tak News