રોગચાળો અટકાવવા તંત્ર એક્શનમાં: બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાના નિયંત્રણ માટે મેલેરિયા શાખાએ હાઉસ ટુ હાઉસ સઘન સર્વેની કામગીરી શરૂ કરી...

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલાં ભારે વરસાદ કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મચ્છર ઉત્પન્ન થવાથી વાહક જન્ય રોગચાળો તેમજ પાણી જન્ય ફેલાવાની શકયતાને આરોગ્ય તંત્ર સાબાદું બન્યું છે. હાલની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવાની શક્યતાને ધ્યાનમાં લઈ બનાસકાંઠા જિલ્લા મેલેરીયા શાખા દ્વારા સોમવારથી હાઉસ ટુ હાઉસ સધન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાલનપુર તાલુકામાં માં કુલ-87,983 ઘર અને 4,49,916 વરતી માંથી ચાર દિવસમાં 37,556 ઘર અને 1,87,877 વસ્તીનું સર્વે દ્વારા આવરી લેવામાં આવી છે.