સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમે પાટડી તાલુકાના ઝીંઝુવાડાના રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સોને રૂ. 4.98 લાખના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી છે. જેમાં સુરેન્દ્રનગર પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમે રોકડા, 8 મોબાઇલ, 1 કાર અને 1 એક્ટિવા મળી કુલ રૂ. 4,98,020નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી અને પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમના પીએસઆઇ સી.એ.એરવાડીયા સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રાજેશ્વરી માતાજીના મંદિર સામે ઝીલકેશ્વર મહાદેવ જવાના રસ્તે આવેલા રહેણાંક મકાનમાં નવુભા ચેલસિંહ ઝાલા અને મકાન માલિક વાઘુભા નાનુભા ઝાલા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે જુગારધામ પર અચાનક દરોડો પાડ્યો હતો.જેમાં જુગાર રમતા જીવુભા મદારસીંહ ઝાલા ( ઝીંઝુવાડા ), ઇસ્માઇલ ઉસ્માન કછોટ ( માંડલ ), ઇરફાન અબ્દુલ કછોડ ( માંડલ ), ખુમાનસિંહ રણુભા ઝાલા ( ઝીંઝુવાડા ), નરેન્દ્રસિંહ ઉદુભા ઝાલા ( ઝીંઝુવાડા ), સિધ્ધરાજસિંહ ભારૂભા ઝાલા ( ઝીંઝુવાડા ) અને પૃથ્વીરાજસિંહ ઇસુભા સોલંકી ( રામપુરા (દેત્રોજ) )ને રોકડા રૂ. 21,020, મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 27,000, ઇકો કાર કિંમત રૂ. 4,00,000 અને એક્ટિવા મોટરસાયકલ કિંમત રૂ. 50,000 મળી કુલ રૂ. 4,98,020ના મુદામાલ સાથે આઠ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.જ્યારે દેત્રોજના રામપુરાનો આરોપી પૃથ્વીરાજસિંહ ઇસુભા સોલંકી પોલીસના થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે જુગાર અંગેનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી અને પેરોલ ર્ફ્લો સ્કોડ ટીમના આ દરોડામાં પીએસઆઇ સી.એ.એરવાડીયા સહિત અસ્લમખાન, ભરતસિંહ, વનરાજસિંહ, જગદિશભાઇ, ભગીરથસિંહ, અશ્વિનભાઇ સતનભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે કાર્યવાહીમાં હાજર હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Kejriwal Latest News: CM केजरीवाल की जमानत याचिका पर कोर्ट ने सुरक्षित रखा फैसला | AAP | Aaj Tak
CM Kejriwal Latest News: CM केजरीवाल की जमानत याचिका पर कोर्ट ने सुरक्षित रखा फैसला | AAP | Aaj Tak
પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલાશિક્ષક નયન ચત્રારિયા બન્યા પેડમેન
પાલનપુર ની સ્વસ્તિક સ્કૂલના સંચાલક નયનભાઈ ચત્રારિયા બન્યા પેડમેન
जैन मुनि की हत्या को लेकर जैन समाज में दिखा रोष
जैन समाज के लोगों ने गुनौर तहसील कार्यालय पहुंचकर सौंपा ज्ञापन
गुनौर : जैन मुनि की हत्या को लेकर पूरे भारत देश में जैन समाज के लोगों में रोष है...
મહુવા તાલુકાના કાળેલા ગામે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચુવાળીયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા.
મહુવા તાલુકાના કાળેલા ગામે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચુવાળીયા ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા.