સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત દ્વારા નાસતા ફરતા અને પેરોલ જમ્પ થયેલા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના તમામ પોલીસ મથકોએ કડક સૂચના આપવાની સાથે એક મહા ડ્રાઇવ ચલાવી છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત અને પીઆઇ જે.એસ.ઝાંબરેની આગેવાનીમાં અને માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો બજાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના ગેડીયા ગામે અચાનક દરોડો પાડી ગેડીયા ગામના અને છેલ્લા ત્રણેક વર્ષથી જિલ્લામાં અને જિલ્લા બહાર પ્રોહીબિશનના અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલા 27 વર્ષના કુખ્યાત આરોપી શોહરબખાન બિસ્મીલાખાન જત મલેકને ગેડીયા ગામના એક ખેતરમાંથી દબોચી લીધો હતો.જેમાં આ આરોપી શોહરબખાન બિસ્મીલાખાન જત મલેક બજાણા પોલીસ મથક સહિત જિલ્લાના અને જિલ્લા બહારના આઠથી વધુ પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતુ. જેમાં તેની વિરુદ્ધ બજાણા, લખતર, મૂળી, સુરેન્દ્રનગર અને મોરબી પોલીસ મથક સહિત કુલ પ્રોહિબિશનના આઠ ગુન્હાઓ નોંધાયેલા છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ભૂપતભાઇ દેથળીયા, ગોવિંદભાઇ ભરવાડ, કિશોરભાઇ પારઘી અને જયપાલસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બાયપાસ રોડ તેમજ સીસી રોડનું ખાતમુરત કરવામાં આવ્યું.....
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બાયપાસ રોડ તેમજ સીસી રોડનું ખાતમુરત કરવામાં આવ્યું.....
Top Trades Today: ONGC के साथ इन सरकारी कंपनियों में अब निवेश का अच्छा मौका? | Budget 2024
Top Trades Today: ONGC के साथ इन सरकारी कंपनियों में अब निवेश का अच्छा मौका? | Budget 2024
एनिमा ले और शरीर अंदर से साफ़ करे | Enema for Instant Detox of Full Body
एनिमा ले और शरीर अंदर से साफ़ करे | Enema for Instant Detox of Full Body
જેનું મનદુઃખ રાખીને યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા કરાઈ :પરિવારે લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યાનો બનાવ બન્યો છે. ગ્રામપંચાયતની ચૂંટણી સમયથી...
GST पर अहम अपडेट, 100 करोड़ रुपये से अधिक कारोबार वाले व्यापारियों को 7 दिन में अपलोड करना होगा ई-चालान
नई दिल्ली, बिजनेस डेस्क। जीएसटी नेटवर्क (GSTN) ने कहा है कि 100 करोड़ रुपये और...