દીઘડિયા ગામે મોટી દુર્ઘટના થતી અટકી હતી.નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી રહ્યા હતા તે વેળાએ અન્ય બે યુવાનો કાંઠે બેઠા હોય તેઓએ બુમાબૂમ કરતા બાજુના વાડીએથી યુવાન કેનાલ કાંઠે દોડી આવી વાયર અને દોરડા કેનાલમાં નાખી ત્રણેય યુવાનોને મહામહેનતે બચાવી લીધા હતા.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ વિકાસભાઈ કોળી, મહેશભાઈ મહારાજ અને રણજીતભાઈ કોળી સહિત પાંચ યુવાનો આજે કામ પતાવી સરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે દીઘડીયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મહેશ, વિકાસ અને રણજીત નાહવા પડ્યા હતા. અને તેના અન્ય બે મિત્ર કેનાલ કાંઠે બેઠા હતા.જોકે કેનાલમાં નાહવા પડેલા ત્રણેય મિત્ર કેનાલમાં વધુ પાણી હોવાના કારણે ડૂબી રહ્યા હોવાની જાણ કાંઠે બેઠેલા બે મિત્રોને થતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. જેથી બાજુની જ વાડીએ રહેતા અનિલભાઈ મગનભાઈ મકવાણા નામનો યુવાન અવાજ સાંભળી કેનાલ કાંઠે દોડી આવ્યો હતો. અને ત્રણેય યુવાનોને ડૂબતા જોઈ વાડીએ ઝટકા મશીન માટે લાવવામાં આવેલા વાયર તેમજ દોરડા તાત્કાલિક લઈ આવી ત્રણેય યુવાનોને મહાન મહેનતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.અનિલભાઈ મકવાણા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, જે યુવાનો ડૂબી રહ્યા હતા અને આ ત્રણેય યુવાનોને જે જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યા તેનાથી 10 ફૂટ દૂર જ અંડરગ્રાઉન્ડ કેનાલ હોય જેના કારણે જો થોડું પણ મોડું થયું હોત તો ત્રણેય યુવાનો આ અંડરગ્રાઉન્ડ નાળામાં ગરકાવ થઈ જાત જેથી તેઓને ગોતવા પણ મુશ્કેલ બની જાત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पिता बना हैवान, बेटी को बनाया हवस का शिकार, मां ने लट्ठ मार पति के चंगुल से छुड़ाया
डूंगरपुर। राजस्थान के डूंगरपुर में शर्मसार करने वाला मामला सामने आया है। यहां एक कलयुगी पिता ने...
সোপাধৰা কাণ্ডৰ বিষয়ে কি কলে আৰক্ষী অধীক্ষকে
সোপাধৰা কাণ্ডৰ বিষয়ে কি কলে আৰক্ষী অধীক্ষকে
કોણ છે પરમજીત સિંહ કાત્યાલ, જેનો વીડિયોથી BJPએ AAPને ઘેરી
ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના નાયબ...
ઘોઘાના વરકુવાડા મફતનગર વિસ્તારમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ઘોઘાના વરકુવાડા મફતનગર વિસ્તારમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં સરાડીયા હાઈસ્કૂલ ખાતે સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું...
ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખના દ્રારા ઉજ્જવલા અને આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં...