દીઘડિયા ગામે મોટી દુર્ઘટના થતી અટકી હતી.નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી રહ્યા હતા તે વેળાએ અન્ય બે યુવાનો કાંઠે બેઠા હોય તેઓએ બુમાબૂમ કરતા બાજુના વાડીએથી યુવાન કેનાલ કાંઠે દોડી આવી વાયર અને દોરડા કેનાલમાં નાખી ત્રણેય યુવાનોને મહામહેનતે બચાવી લીધા હતા.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ વિકાસભાઈ કોળી, મહેશભાઈ મહારાજ અને રણજીતભાઈ કોળી સહિત પાંચ યુવાનો આજે કામ પતાવી સરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે દીઘડીયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મહેશ, વિકાસ અને રણજીત નાહવા પડ્યા હતા. અને તેના અન્ય બે મિત્ર કેનાલ કાંઠે બેઠા હતા.જોકે કેનાલમાં નાહવા પડેલા ત્રણેય મિત્ર કેનાલમાં વધુ પાણી હોવાના કારણે ડૂબી રહ્યા હોવાની જાણ કાંઠે બેઠેલા બે મિત્રોને થતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. જેથી બાજુની જ વાડીએ રહેતા અનિલભાઈ મગનભાઈ મકવાણા નામનો યુવાન અવાજ સાંભળી કેનાલ કાંઠે દોડી આવ્યો હતો. અને ત્રણેય યુવાનોને ડૂબતા જોઈ વાડીએ ઝટકા મશીન માટે લાવવામાં આવેલા વાયર તેમજ દોરડા તાત્કાલિક લઈ આવી ત્રણેય યુવાનોને મહાન મહેનતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.અનિલભાઈ મકવાણા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, જે યુવાનો ડૂબી રહ્યા હતા અને આ ત્રણેય યુવાનોને જે જગ્યાએથી બહાર કાઢવામાં આવ્યા તેનાથી 10 ફૂટ દૂર જ અંડરગ્રાઉન્ડ કેનાલ હોય જેના કારણે જો થોડું પણ મોડું થયું હોત તો ત્રણેય યુવાનો આ અંડરગ્રાઉન્ડ નાળામાં ગરકાવ થઈ જાત જેથી તેઓને ગોતવા પણ મુશ્કેલ બની જાત.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱৰ জাগী ভকতগাঁৱত পথ দুৰ্ঘটনাত আহত বহুজন
মৰিগাঁৱৰ জাগীভকত গাৱঁত সংঘটিত হৈছে ভয়ংকৰ পথ দুৰ্ঘটনা। জাগীৰোড মৰিগাঁও ঘাইপথৰ জাগী ডকতগাওঁ ঘাই পথত...
भूसंपादन प्रकरणी संचिका गायब करणाऱ्या श्रीनिवास मुळेवर कारवाई करण्यास उपजिल्हाधिकारी मच्छिंद्र सुकटे यांची टाळाटाळ
बीड (प्रतिनिधी) मा.उपजिल्हाधिकारी भूसंपादन ल.पा बीड येथील प्रकरणात भूसंपादन मावेजांमधील झालेल्या...
जळकोट तालुक्यातील गुटखा माफियावर जळकोट पोलीस ठाणे येथे गुन्हा दाखल
जळकोट तालुक्यातील गुटखा माफियावर जळकोट पोलीस ठाणे येथे गुन्हा दाखल
मृत मादा बाघिन आरवीटी-2 का विधि सम्मत, एनटीसीए के प्रोटोकॉल से अंतिम संस्कार
रामगढ़ विषधारी टाईगर रिजर्व के संरक्षित क्षेत्र में एक मादा बाघिन आरवीटी-2 लगभग 15 से 20 दिनों से...
Ashok Gehlot का PM Modi पर तंज, पहले अपना दोस्त बताते हैं फिर मेरी ही ऐसी की तैसी करते
Ashok Gehlot का PM Modi पर तंज, पहले अपना दोस्त बताते हैं फिर मेरी ही ऐसी की तैसी करते