જુનાગઢમાં ગયકાલે નોબલ યુનિવર્સિટી અને ડો. સુભાષ યુનિવર્સિટીને પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળતાં રાજ્યના શીક્ષણમંત્રી જીતુભાઈ વાધાણી નો સત્કાર સમારંભ જુનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જુનાગઢ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ સત્કાર સમારંભ બાદ રાજ્ય ના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાધાણીએ જુનાગઢના પત્રકારો સાથે એક ખાસ વાતચિત કરી હતી તેમાં તેઓએ પત્રકારોના પ્રશ્ર્નો ના જવાબ આપતાં તેઓએ કોગ્રેસ દ્વારા કરવામાં આવેલા  રેફ અને હત્યાના બનાવો વધી રહીયા ના આક્ષેપો નો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં બહેનો ને લગતા કડક કાયદાઓ અમલમાં આવ્યા છે અને તેમાં ફાસી સુધીની જોગવાઈ થઈ છે જેને લઈને કોંગ્રેસ ના પેટમાં તેલ રેડાયું છે જેથી તેઓ દ્વારા આવા નિવેદનો કરવામાં આવી રહીયા છે બાકી અત્યાર સુધીમાં સોથી વઘુ કડક કાયદાઓ બહેનો માટે મોદી સરકારે બનાવ્યા છે તેમ જણાવ્યું હતું અને સરકાર કાયદોયઅને વ્યવસ્થા સારી રીતે જળવાઈ તે માટે સખ્ત હાથે કામ કરી રહી છે તેમ પણ તેઓએ જુનાગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું