ઝગડાની અદાવત રાખી યુવકે ને મોત ને ઘાટ ઉતારી ઢોલાર ગામ નજીક હાઇવે રોડ ઉપર ફેંકી દેતા વિસ્તારમાં ચકચાર મચી

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી કિરીટભાઈ રતિલાલ જાદવ રહે હજી ખાના બજાર જગા શેઠના ટેકરા ની સામે તાલુકો ભરૂચ નાઓની બાજુમાં રહેતા ઉર્વશીબેન નરેન્દ્રભાઈ ના આ કામના આરોપી અશ્વિનભાઈ બારીયા રહે વડોદરા ના સાથે પ્રેમ સંબંધ હોય જેના કારણે ફરિયાદીના દીકરા દંતેશ્વર ઉર્ફે દન્તુ સાથે બોલા ચાલી અને ઝઘડો થયેલ તથા રૂબરૂમાં અને ફોન ઉપર વારંવાર જાનથિ મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બની હતી જેના કારણે આ કામના આરોપી અશ્વિનભાઈ બારીયા એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે ફરિયાદીના દીકરા દંતેશ્વર ઉર્ફે દન્તુને ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી અંકલેશ્વર થી રાજપીપલા હાઈવે રોડ ઉપર ઢોલારથી વીરપુર ગામ વચ્ચે આવેલા નાળા ઉપર ફેંકીને નાસી ગયેલ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા આમલેથા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકને હોસ્પિટલ ખાતે મોકલી આપી આરોપી અશ્વિનભાઈ બારીયા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....